
જે જાય જાવે તે કદી ન આવે, જો ફરી આવે તો પડ્યા પડ્યા ખાવે, એટલું ધન લાવે!
૬૦૩ની સાલમાં ગુજરાતના રાજા કસમચિત્ર ને જ્યારે પોતાના રાજ્યના વિનાશની સૂચના મળી, ત્યારે તેમણે એક સાહસ ખેડ્યું. રાજાના પુત્ર ભ્રુવિજય સવેલચાલ ૬ મોટા અને ૧૦૦ નાના વહાણોના કાફલામાં પોતાના ૫૦૦૦ અનુયાયીઓ (જેમાં ખેડૂતો, કારીગરો, યોદ્ધાઓ અને વૈદ્યો પણ સામેલ હતા) ને લઈને દરિયાઈ માર્ગે નીકળી પડ્યો!
ચાર મહિનાની લાંબી અને ખતરનાક સફર પછી આ વિશાળ કાફલો ઇન્ડોનેશિયા ના જાવા ના માતારેમ નામના અખાતમાં પહોંચ્યો. ત્યાં જઈને આ રાજકુમારે મેંડાંગ કુમુલન નામનું નવું નગર વસાવ્યું. થોડા સમય પછી ગુજરાતથી વધુ ૨૦૦૦ શિલ્પીઓ અને કારીગરો ત્યાં મદદ માટે પહોંચ્યા, જેમણે ત્યાં અત્યંત ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું.
આ સાહસિક દરિયાઈ સફરો અને વસાહતોને કારણે જ ગુજરાત અને જાવા વચ્ચે એવો સમૃદ્ધ વેપાર ખીલ્યો કે ગુજરાતીમાં આજે પણ એક પ્રખ્યાત કહેવત બોલાય છે: "જે જાય જાવે તે કદી ન આવે, જો ફરી આવે તો પડ્યા પડ્યા ખાવે, એટલું ધન લાવે!"